Archive for the 'અધિકમાસ ના દર્શન..' Category

11
May
10

ઉમરેઠની હવેલી માં ઠાકોરજીના અલૌકિક દર્શન..અધિક માસમાં ..

અધિક પુરુષોત્તમ માસ . એટલે કે પ્રથમ વૈશાખ. માસ નિમિત્તે ઉમરેઠ ના હવેલી મંદિરમાં જે મનોરથો યોજાયા.. તેના દર્શનનો સુંદર લાભ મળ્યો.
અગાઉ પણ આપને હું જણાવી ગયો છું કે ઉમરેઠ માં ૩ હવેલી મંદિર .. છે જે અલગ અલગ ગાડીના મહારાજશ્રીના માથે બિરાજે છે. અને એક સાથ સ્વરૂપની હવેલી છે. જ્યાં દરેક ગાદીના મહારાજ્શ્રી હક ધરાવે છે.
તેમાંથી એક હવેલી છે.. જે મોટા મંદિર તરીકે ઓળખાય છે. જે નડિયાદ ની ગાડીના મહારાજશ્રી ના માથે બિરાજે છે. બીજું મંદિર છે ચંદબાવાનું. . .. જે ગોકુલ ચન્દ્રમાંજી ના મંદિર તરીકે ઓળખાય છે. અને તે પંચમ પીઠાધીશ્વર પ્.પૂ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી(કામવન) ના માથે બિરાજે છે. અને ત્રીજી હવેલી મંદિર એ મગન્લાલ્જીના મંદિર તરીકે ઓળખાય છે. જે છઠી ગાદીના મહારાજ્શ્રી .. વડોદરા ના માથે બિરાજે છે.
અને મુખ્ય છે સાત સ્વરૂપની હવેલી. ..જ્યાં ઉમરેઠમાં પધારનાર દરેક મહારાજ્શ્રી મૂકામ કરે છે.

હવે હું આપને ઉમરેઠ ના હવેલી મંદિરમાં યોજાયેલા મનોરથનાં દર્શન કરાવું છુ.. અને ખરેખર આપ અભિભૂત થઇ જશો..

મોટા મંદિર નાં અલભ્ય દર્શન..

ગોકુલ ચન્દ્રમાજીના મંદિરના વિવાહ ખેલ મનોરથ ના દર્શન..

આશા રાખું છુ કે આપ સૌને હું અલભ્ય લાભ આપી રહ્યો છુ..
આમ પણ પ્રભુની માફી સાથે આ ફોટા આપ સુધી પહોચાડી રહ્યો છુ ..કારણકે મંદિરમાં ફોટા પાડવાની મનાઈ છે.. પરંતુ . ખબર નહિ .. હું મારા હાથ અને કેમેરાને કંટ્રોલ કરી શક્યો નહિ.. અને આ ફોટા આપના માટે.. અને આ બ્લોગ માટે પાડીને . લાવ્યો છુ..

આની જે સજા હોય તે મારા માટે .સ્વીકારીશ.. પરંતુ પ્રભુના દર્શનનો લાભ વૈષ્ણવોને કરાવ્યો તેનો પણ આનંદ માનીશ …

જય શ્રી કૃષ્ણ..




વિષય

pictures... of my son kushal

More Photos

ખાસ વૈષ્ણવો જોગ..

આ બ્લોગ ડેવલોપ કરવામાં મારે આપ સૌના સાથ અને સહકાર ની પણ જરૂર છે કારણકે પુષ્ટી સંપ્રદાય એ મહાસાગર છે. ખરેખર તેમાંથી સાચા મોટી શોધવાનું કામ એકદમ કપરું છે. હું પુષ્ટી સંપ્રદાય નો વૈષ્ણવ છું પરંતુ એવો દાવો નથી કરતો કે હું બધું જ જાણું છું. એટલે હું આ બ્લોગ પર જે લખીશ તે કોઈને કોઈ પુસ્તકમાંથી વાંચીને કે પછી કોઈ વૈષ્ણવની જાણકારી પ્રમાણે પોસ્ટ લખીશ. આપ સૌને એટલી જ વિનંતી કે કોઈ ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરશો.

Follow

Get every new post delivered to your Inbox.