11
May
10

ઉમરેઠની હવેલી માં ઠાકોરજીના અલૌકિક દર્શન..અધિક માસમાં ..

અધિક પુરુષોત્તમ માસ . એટલે કે પ્રથમ વૈશાખ. માસ નિમિત્તે ઉમરેઠ ના હવેલી મંદિરમાં જે મનોરથો યોજાયા.. તેના દર્શનનો સુંદર લાભ મળ્યો.
અગાઉ પણ આપને હું જણાવી ગયો છું કે ઉમરેઠ માં ૩ હવેલી મંદિર .. છે જે અલગ અલગ ગાડીના મહારાજશ્રીના માથે બિરાજે છે. અને એક સાથ સ્વરૂપની હવેલી છે. જ્યાં દરેક ગાદીના મહારાજ્શ્રી હક ધરાવે છે.
તેમાંથી એક હવેલી છે.. જે મોટા મંદિર તરીકે ઓળખાય છે. જે નડિયાદ ની ગાડીના મહારાજશ્રી ના માથે બિરાજે છે. બીજું મંદિર છે ચંદબાવાનું. . .. જે ગોકુલ ચન્દ્રમાંજી ના મંદિર તરીકે ઓળખાય છે. અને તે પંચમ પીઠાધીશ્વર પ્.પૂ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી(કામવન) ના માથે બિરાજે છે. અને ત્રીજી હવેલી મંદિર એ મગન્લાલ્જીના મંદિર તરીકે ઓળખાય છે. જે છઠી ગાદીના મહારાજ્શ્રી .. વડોદરા ના માથે બિરાજે છે.
અને મુખ્ય છે સાત સ્વરૂપની હવેલી. ..જ્યાં ઉમરેઠમાં પધારનાર દરેક મહારાજ્શ્રી મૂકામ કરે છે.

હવે હું આપને ઉમરેઠ ના હવેલી મંદિરમાં યોજાયેલા મનોરથનાં દર્શન કરાવું છુ.. અને ખરેખર આપ અભિભૂત થઇ જશો..

મોટા મંદિર નાં અલભ્ય દર્શન..

ગોકુલ ચન્દ્રમાજીના મંદિરના વિવાહ ખેલ મનોરથ ના દર્શન..

આશા રાખું છુ કે આપ સૌને હું અલભ્ય લાભ આપી રહ્યો છુ..
આમ પણ પ્રભુની માફી સાથે આ ફોટા આપ સુધી પહોચાડી રહ્યો છુ ..કારણકે મંદિરમાં ફોટા પાડવાની મનાઈ છે.. પરંતુ . ખબર નહિ .. હું મારા હાથ અને કેમેરાને કંટ્રોલ કરી શક્યો નહિ.. અને આ ફોટા આપના માટે.. અને આ બ્લોગ માટે પાડીને . લાવ્યો છુ..

આની જે સજા હોય તે મારા માટે .સ્વીકારીશ.. પરંતુ પ્રભુના દર્શનનો લાભ વૈષ્ણવોને કરાવ્યો તેનો પણ આનંદ માનીશ …

જય શ્રી કૃષ્ણ..

26
Apr
10

પુરુષોત્તમ માસ નો અલૌકિક આનંદ…

આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ “રચના” ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના દર્શનનો અનન્ય લાભ આજે મળ્યો છે . તે કદાચ આ પહેલા મળ્યો નથી.. દરેક સેલીબ્રિટીઝ પોતાનો બ્લોગ લખે ત્યારે તેમના અનુભવો જ લખતા હોય છે . જયારે અમારા જેવા સામાન્ય બ્લોગર પોતાના બ્લોગ માં પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની આવડત અને લેખન કલાને વાચા આપતા હોય છે.. પરંતુ આજ રોજ આ અધિક વૈશાખ માસમાં પ્રભુના દર્શનનો જે લાભ મળ્યો છે એટલે ખરેખર હું ધન્ય બન્યો છુ .. અંતે એટલે જ મારો આજનો અનુભવ આપની સમક્ષ્ પોસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ..

અધિક માસ .. ( પુરુષોત્તમ માસ) એટલે શું..?

દરેક ગુજરાતી માસને પોતાનો આગવો દરજ્જો મળેલો છે. અને કહેવાય છે કે તે દરજ્જો પ્રભુ એ નક્કી કરેલો છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે .પુરુષોત્તમ માસ ( અધિક મહિનો) ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે .. “પ્રભુ . એક તો હું ૩ વરસે એક વાર આવું છુ. તો મારું મહત્વ નથી. તદુપરાંત આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી એટલે મારું મહત્વ તો રહેતું જ નથી.. ” એટલે પ્રભુએ તેને જણાવ્યું.. ” તું ભલે ૩ વરસે એક વાર આવે .. પણ તારું આગવું મહત્વ છે .. અને લોકો તને પુરુશોત્તમ માસ તરીકે ઓળખશે. અને તારો ભલે કોઈ દરજ્જો નથી. પરંતુ પુરુષોત્તમ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે. અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને અનેકગણું ફળ મળશે.”

અને ખરેખર પુરૂશોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. તે માસ માં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે.. પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવીને મનોરથ કરવામાં આવે છે. તે જ રીતે વદ તેરસને શૈવપંથી શિવરાત્રી તરીકે ઉજવી જ શકે. સવાલ ફક્ત તમારી શ્રદ્ધાનો છે.

તાર્કિક રીતે જોવા જઈએ તો .. આખા વર્ષના ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ( જે આપને રોજ વાપરીએ છીએ) વર્ષમાં ૩૬૫ દિવસ આવે છે. પરંતુ તેને જો ગુજરાતી કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે તો . દરેક ગુજરાતી માસ ૩૦ દિવસનો જ હોય. તેમાં પણ ઘણી તીથીઓ નો ક્ષય હોય અથવા કોઈ તિથી ૨ વાર પણ આવતી હોય છે. .. પરંતુ . ૩૦ દિવસ પ્રમાણે દર વર્ષે તેના ૩૬૦ દિવસ ગણાય. આમ દર વર્ષે ૫ દિવસનું એડજસ્ટમેંટ કરવું જ પડે. એટલે ૩ વર્ષના ૧૫ દિવસ થાય. ઉપરાંત તીથીઓનો લોપ થતા . લગભગ ૩૦ દિવસ નો વધારો દરેક ૩ વર્ષે આવે.. અને તે કારણથી એક અધિક મહીનો મળે છે.

આમ ધાર્મિક અને તાર્કિક રીતે આપણને જે ૧ મહિનો વધારે મળે . તેમાં જેટલું ધાર્મિક કાર્ય કરી શકાય તેટલું કરવું તેવી પ્રણાલી છે. .. અને તે મહિનામાં કરતુ પુણ્ય વધારાનું ગણાય તેવી માન્યતા છે .

આવા અધિક માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. અને આજ રોજ ઠાકુરજીને પણ ખૂબ જ લાડ લડાવવામાં આવતા હોય છે. આમ પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીને બાળક ભાવથી સેવા કરવામાં આવે છે એટલે જ વધારે લાડ લડાવવામાં આવતા હોય છે.

ઠાકોરજીના દર્શનનો અનન્ય લાભ..

આજ રોજ અધિક માસની ચૌદસ અને કાલે પૂનમ છે. આજે સોમવાર હોવાથી અમે ડાકોર ના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શનનો અનન્ય લાભ લીધો. રચના , કુશલ અને યશસ્વી વેકેશન પર હોવાથી હું અને મમ્મી પપ્પા દર્શન માટે ગયા હતા. અને સાંજનો સમય હતો .. અને સ્વાભાવિક રીતે શયનના દર્શનનો જ સમય હતો. મંદિર માં ભીડ જોઈને એક વાર તો અંદર જવાની હિંમત ન ચાલી .. પણ થોડી વાર પછી ભીડ ઓછી થતા .. અમે અંદર દર્શન કર્યા. વાહ.. એકદમ અદભૂત દર્શન .. કારણકે દરરોજ આવા જ દર્શન હોય છે .. ભક્તો મશાલ લઈને ઉભા રહે છે. દરેક જણ મશાલની જ્યોત પકડીને પણ ધન્ય બને છે.. બધું જ.. પરંતુ વાત જયારે પુરુષોત્તમ માસની હોય ત્યારે..?? આ આનંદ બેવડાઈ જાય. અને વળી પાછુ . શયન ના દર્શન માં જે સમૂહ ગાન થાય છે.. ” તમે પોઢોને રણછોડરાય..” તેની થોડી ઘણી લાઈનો આવડે છે એટલે .. શ્રી રણછોડરાયજીના સન્મુખ થઈને તે ગાવાનો આનંદ .અને પુરુષોત્તમ માસ.. (મને કુશલ યાદ આવી ગયો..કારણકે તેને આ ગાન બહુ ગમે છે..)… ખરેખર ખૂબ સૂંદર દર્શન , અને સાથે સાથે મંદિરની પરિક્રમા તો ખરી જ .. વાહ..

ડાકોર થી પરત આવતા આવતા .. અમારા ઉમરેઠના હવેલી મંદિર માં “પુષ્પવિતાન ” મનોરથ હતો. ઉમરેઠમાં ૩ હવેલી મંદિર છે. એક મોટું મંદિર. બીજું શ્રી દેવકીનન્દ્જીનું અને ત્રીજુ મગનલાલજીનું . આ ત્રણે ય મંદિરના ઠાકોરજી એક જ ..”મોટા મંદિરમાં” બિરાજ્યા હતા.. અને .. લગભગ રાત્રે ૮ વાગ્યાનો દર્શનનો સમય હતો.. પરંતુ દર્શન થયા.. ૯.૩૦ વાગે.. અને ઉમરેઠ માં સૃષ્ટી ધરાવતા પંચમ પીઠાધીશ્વર શ્રીમદ વલ્લભાચાર્યજી પણ પધાર્યા હતા. મોડું થયું ..પરંતુ જયારે દર્શન ખુલ્યા … ફરીથી એક જ શબ્દ..વાહ .. અદભૂત . મહારાજશ્રી ની હાજરી .. ઉપરાંત ત્રણે મંદિરના ઠાકૂરજી .. અને પુરુષોત્તમ માસ.. વાહ.. અલૌકીક દર્શન થયા..

બસ પ્રભુજીની આવીને આવી કૃપા બની રહે … અને દર્શનનો લાભ મળતો રહે.. તેવી પ્રભુને પ્રાર્થના કરું છુ..

24
Apr
10

free counters

11
Apr
10

કીર્તન કેરો આનંદ.. વૈષ્ણવ સંગ.. સત્સંગ..

જય શ્રી કૃષ્ણ..ઇન્ટરનેટ પર ચેટ કરતા કરતા .કોઈને કોઈ એવી વ્યક્તિ મળી જાય છે જેના વિષે તમે કદાપી વિચારી શકો નહિ.. દરેક વ્યક્તિ વિચારે કે ફેસબુક પર ચેટ કરવી એટલે ફક્ત ને ફક્ત જવાનીયાઓ નું કામ છે. પરંતુ દર વખતે એ સત્ય હોતું નથી. મારા ફેસબુકના ફ્રેન્ડ્સ લીસ્ટ માં એક એવું નામ છે જે ઘણા ઉંમરલાયક છે અને હા “સત્સંગ” બ્લોગ પર સત્સંગ કરી શકે તેવા સત્સંગી પણ છે.. એવા સત્સંગી છે ડૉ.લલિતા પાલેપ. અને હા વળી તેઓ તેમના એકાઉન્ટ પર વૈષ્ણવ સંપ્રદાયના કીર્તન,ભજન વગેરે શેર કરે છે. તેમની સાથે સંપર્ક થતા જ મેં તેમને કીર્તન લખવાનું કહ્યું અને તેમને તે કીર્તન અંગ્રેજીમાં લખીને મોકલ્યું. જે આપની સમક્ષ રજૂ કરું છુ. કીર્તનના શબ્દોને અન્યાય ન થાય તે હેતુથી સંપૂર્ણ કીર્તનને ગુજરાતીમાં લખી નહિ શકવા બદલ દરગુજર કરશો..
આ પોસ્ટ માટે હું ડૉ લલિતા- મુંબઈનો આભારી છુ..

Kali mein jeevan VALLABH prakate,,
gati na huti je kahuun adhaman ki, ab sab paap kate,||1||kari jo krupa dhar ke kar mastak, kine apne daas,
ye sakshaat puran purushottam das RASIK bhali aas, ||2|| ( this kirtan is forwarded by Dr. Lalita Palep from Kirtan-Kinjh, ),,jai shri krishna,,!!

કલીમેં જીવન વલ્લભ પ્રગટે,
ગતિના હુતી જે કહું અધમન કી , બ સબ પાપ કટે, -૧
કરી જો કૃપા ધાર કે કર મસ્તક, કીને અપને દાસ,
એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ દાસ રસિક ભલી આસ..-૨
(ડૉ. લલિતા પાલેપ, મુંબઈ .. દ્વારા .. ફેસબુક પરથી મેળવેલું..)

KIRTAN–KUNJH,, RAAG–DHANASHRI; TAAL–DHAMAR;
————————————————————————-Pragatya emaan shri VALLABH DEV,
shri LAXMAN BHATT gruha vadhaaiyaan, mangal-suhelara,,||1||

gave emaan geet rasal, sabe suhagini aayiyaan,||2||brahman emaan veda padhay, deta asis suhayiyaan,||3||

motin emaan choka puraye bandanwar badhayiaan,||4||ghar ghar emaan mangal chaar,dhwaja kalash feherayiaan,||5||devan emaan dundubhi bajay, pohopa anjuli varkhaiyaan ||6||dine emaan bahuvidh daan, nar-nari peherayiyaan,||7||dhanya dhanya emaan EELAMMA-GARU, asha sabe pujaiyaan,|Tattva guna baan bhuvi Madhavasit tarani,
Pratham Bhagwad deevas prakat LAXMAN suvan,DHANYA CHAMPARANYA DHANYA TRAILOKYA JANA,
ANYA AVATARI HOYE HAI NA AISO BHUVAN,||1||

lagna vasu kumbha gati ketu kavi indu sukha,
meena budha eecha ravi, vaira naase,
manda vrusha karka guru, bhoma yuta tama sindhayoga,
dhruva karan bavayash prakashe,,||2||runa dhanishthaa pratishtha adhishthaan ,
sthita viraha vadananalakaar hari ko,
yehi nishchey DWARAKESH een ki sharan ,,aur shriVALLABHADHEESH SARA KO,, ||3||

( This kIRTAN IS FWD. BY DR. LALITA PALEP,, -FROM KIRTAN KUNJH ,

( RAAG-SUGHARAI-KANHARA–TAAL-JHAPTAAL,,, ) JAI SHRI KRISHNA,,,|8||

sab din emaan sukha sampatti raaj harjeevan mann bhaiyaan,||9||

(this Kirtan is forwarded by Dr. Lalita Palep,, from kirtan-kunjh ) Jai Shri Krishna sau Vaishnavo ne,,

10
Apr
10

વધાઈ… શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની વધાઈ..

વૈષ્ણવો ના પ્યારા શ્રી મહાપ્રભુજી

શ્રી મહાપ્રભુજી.

આ બ્લોગમાં નવી પોસ્ટ લખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને જોગાનુજોગ આજ રોજ શ્રી મહાપ્રભુજીનો પ્રગટ્ય મહોત્સવ છે.. ચૈત્ર વદ ૧૧ .. આજના દિવસે શ્રી મહાપ્રભુજીનું પ્રગટ્યા થયું હતું..
પુષ્ટિમાર્ગના પ્રણેતા… શ્રી મહાપ્રભુજી.. જેમનું પ્રાગટ્ય મીતી અનુસાર આજે થયું હતું. જે નિમિત્તે આજરોજ ઉમરેઠ ગામમાં મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી..

શ્રી મહાપ્રભુજીના ઠાઠમાઠ વડે વૈષ્ણવો ચકાચોંધ થઇ ગયા..

શોભાયાત્રાની ઝલક..

શીભાયાત્રના આનંદમાં મશગુલ વૈષ્ણવો.. આ મહોત્સવને ખૂબજ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે.

આપ સર્વે વૈષ્ણવોને ફરીથી આ પ્રસંગની વધાઈ આપું છુ..જય શ્રી કૃષ્ણ..

08
Feb
10

જય શ્રી કૃષ્ણ….જય ગોકુલ કે ચંદ કી ….

કદાચ હું પ્રથમ બ્લોગર હોઈશ જે આપની સમક્ષ દરગુજર કરવાની આશા સાથે બ્લોગની શરૂઆત કરતો હશે. જી .. હા… વૈષ્ણવ સંપ્રદાય ના દરેક એ લોકો જેઓ આ બ્લોગનું નામ જોઈને તેના પર ક્લિક કરતા હતા પરંતુ નિરાશા સાથે પરત થતા હતા તે સૌને હું વિનમ્રતા સાથે કહેવા માંગું છું કે આપની આશા પૂરી નહિ કરી શકવા બદલ આપ મને દરગુજર કરશો. પરંતુ સાચી વાત એ છે કે હું અત્યારે www.paryank2010.blogpost.com પર “રચના” નામનો બ્લોગ લખી રહ્યો છું.અને ખરેખર સૌથી પહેલા મેં આ બ્લોગ લખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ થયો ન હતો. અને એ જ કારણ છે કે મારા બ્લોગનો વિષય “વૈષ્ણવ સંપ્રદાય ” જોઈને ક્લિક કરનાર ને સંપૂર્ણ નિરાશા જ પ્રાપ્ત થઇ હશે.પરંતુ આજ રોજ મારા બ્લોગ પર ક્લિક કરનાર એક જાગૃત બ્લોગર શ્રી વિનયભાઈએ મારું ધ્યાન દોરતા જ મને મારી ભૂલનો એહસાસ થયો અને આ પોસ્ટ લખી રહ્યો છું.અને મારું ધ્યાન દોરવા બદલ હું શ્રી વિનયભાઈનો આભારી છું. મારો સંપૂર્ણ પ્રયાસ હશે કે અહિથી આપને પુષ્ટી સંપ્રદાય વિશેની ઊંડાણ્પુર્વંકી માહિતી મળે અને એક રીતે આપણે સત્સંગ કરી શકીએ .સત્સંગ કરવાની વાત થઇ એટલે એક વાત જણાવી દઉં કે હું જે માહિતી આપીશ તે મારે ફક્ત અને ફક્ત પુષ્ટી સંપ્રદાય ના પુસ્તકોમાં થી જ આપણે આપવાની છે. હું કોઈ સંપ્રદાય નો જાણકાર નથી પરંતુ હું ખાતરી આપું છું કે હું અંહિથી જે માહિતી આપું તે એકદમ વિશ્વાસપાત્ર હોય અને એક રીતે હું આપની પાસે સત્સંગ કરીને મારો વૈષ્ણવ તરીકે જો જન્મ સિદ્ધ કરી શકું.
મારા વિષે વાત કરું તો હું પરાગ ચોકસી.. આણંદ જીલ્લાના ઉમરેઠ ગામનો વાતની છું જે તાલુકા પ્લેસ પણ છે. મારા પિતાનું નામ શ્રી ચન્દ્રકાન્તભાઈ ચોકસી છે અને માતાનું નામ કુમુદબેન ચોકસી છે.મારી પત્ની નું નામ રચના .. પુત્ર કુશલ તથા દીકરી યાશ્રી .. અમારા ઘર ઠાકોરજીની દૂધ-ઘરની સેવા બિરાજે છે.અમે વલ્લભાચાર્યજીના પંચમ ઘરના સેવક છીએ અને હાલ અમારા ગુરુજી પંચમ પીઠાધીશ્વર પ્.પુ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી છે.કે જેવો હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે બિરાજે છે.અને મારા મમ્મી પપ્પાએ મને ભક્તિમય વાતાવરણ પહેલે થી જ પૂરું પડેલું છે અંતે તેના પરિણામસ્વરૂપ હું આજે પુષ્ટિમાર્ગ પર બ્લોગ લખવાની હિંમત કરી શક્યો છું..અમારા ગુરુજી શ્રી વલ્લભાચાર્યજી ના માથે બિરાજતા સ્વરૂપને શ્રી ગોકુલચંદ્રમાજી તરીકે ઓળખાય છે અને સેવકો તેમને શ્રી ચંદબાવા તરીકે પણ ઓળખે છે. અને એટલે જ .. મારી આ પ્રથમ પોસ્ટ ને. હું શ્રી ચંદબાવાના પવન ચરણોમાં અર્પણ કરીને..મારા આ બ્લોગની શુભ શરૂઆત કરી રહ્યો છું.
“ગોકુલ કે ચંદ કી જાય…”

08
Feb
10

સ્વાગત…. સ્વાગત……… સ્વાગત……

જય શ્રી કૃષ્ણ …. સત્સંગ કરતા કરતા … ખરેખર હૃદય એકદમ પુલકિત થઇ જાય છે . અને ખરેખર આટલો બધો અલૌકિક આનંદ મળતો હશે તેની તો ખબર જ નહિ! કોણ કહે છે કે ઈન્ટરનેટ પર મળતો આનંદ કૃત્રિમ હોય છે? આનંદ પામવો તે તમારા પર આધાર રાખે છે . પરંતુ કેવો આનંદ પામો તે કયું કાર્ય કાર્ય કરો છો ” તેના પર આધારિત હોય છે… સત્સંગ ફક્ત મંદિર કે આમને સામને બેસીને જ થઇ શકે તેવું નથી…અલૌકિક વાતો હોય, પ્રભુ વિશેની ચર્ચા ચોખ્ખા હૃદયથી કરવામાં આવે તો ઈન્ટરનેટ પર પણ સત્સંગ કરી અલૌકિક આનંદની અનુભૂતિ થઇ શકે. પરંતુ સીધો સત્સંગ શરુ થતા જ એક લૌકિક વાત ભૂલાઈ ગયી અને તે છે આપ સર્વે નું હાર્દિક સ્વાગત.. હું આ બ્લોગ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત.. સ્વાગત… યાદ રાખજો હું ફક્ત આ બ્લોગ પર સ્વાગત કરું છું.. સત્સંગ માં નહિ.. કારણકે કદાચ કોઈ બ્લોગનો કરતા હોઈ સકે એટલે તે કર્તા તરીકે સ્વાગત કરી શકે.. પરંતુ સત્સંગ નો કર્તા ફક્ત પ્રભુ છે.. ઠાકોરજી છે એટલે આપણે સૌ સત્સંગ માં ફક્ત જોડાઈ શકીએ.. એટલે આ બ્લોગ પર સત્સંગ કરવા માટે જોડાવવાની જવાબદારી આપ સર્વે મુલાકાતીઓની રહેશે. મારે અને તમારે ફક્ત આ સત્સંગમાં જોડાઈને પ્રભુને યાદ કરવાના છે… તો જોડાઈ જાઓ આ સત્સંગ માં.. પધારો.. પધારો.. પધારો…

29
Jan
10

પુષ્ટિ સંપ્રદાય વિશે ….

પંચમ પીઠાધીશ્વર જગદગુરુ પ્.પુ.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાશ્રી

બ્લોગ શરુ કરવાની સાથે જ વધાઈ આપવાની હોય એ વાતનો આનંદ જ ઓર હોય છે. પન્ચમપીઠાધીશ્વર પ્.પુ.૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભલાલજી મહારાશ્રી નો પ્રાગટ્ય દિવસ કે જે ફાગણ સુદ ૩ છે. તો હું આપને વધાઈ સાથે જણાવવા માંગું છું કે આ વખતે તેમનો પ્રાગટ્ય મહોત્સવ ધામધુમથી આણંદ ખાતે હાર્ટ કિલર ગ્રાઉન્ડ પર ઉજવવામાં આવનાર છે. ત-૧૬-૦૨-૨૦૧૦ ની રોજ આવતા આ પ્રસંગ ની ઉજવણી ની શરૂઆત તી ૧૧-૦૨ -૨૦૧૦થી ત-૧૭-૦૨-૨૦૧૦ સુધી થનાર છે. તો આવા સુંદર પ્રસંગનો લાભ વૈષ્ણવો ન લે તો જ નવાઈ ….
પંચમપીઠાધીશ્વર પ્.પુ.૧૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજશ્રી હાલના એકમાત્ર ગોસ્વામી બાળ છે જેઓને જગદગુરુ ની ઉપાધી મેળવેલી છે. તે વૈષ્ણવો માટે ગૌરવની વાત છે. તદુપરાંત તેઓ રાજસ્થાન સરકારના મંત્રીમંડળનો માનદ હોદ્દો પણ ભોગવી ચુક્યા છે. અને તેઓને ગત વર્ષે જ્ બીકાનેર ખાતેની હવેલી જે રાજસ્થાન સરકારના તાબામાં હતી તે પરત સોપવામાં આવી છે અને વૈષ્ણવો માટે તે એક આનંદનો અવસર બની ગયો. જેને ધામધુમથી ઉજવીને સૌ વૈષ્ણવોએ યાદગાર બનાવી દીધો હતો. તેઓ શ્રી ઇન્ટીરીયર ડેકોરેશનના નિષ્ણાત છે. અને તેની ડીગ્રી પણ તેઓએ મેળવેલી છે. અને આપ સૌ હાલ માં જે ઇન્ટીરીયર ડેકોરેશન તેમની વિદ્યાનગર ખાતેના મકાનમાં તથા નંદાલય હવેલી ખાતે જુઓ છો તે તેમની આવડતનો જ્ એક નમુનો છે.




વિષય

pictures... of my son kushal

More Photos

ખાસ વૈષ્ણવો જોગ..

આ બ્લોગ ડેવલોપ કરવામાં મારે આપ સૌના સાથ અને સહકાર ની પણ જરૂર છે કારણકે પુષ્ટી સંપ્રદાય એ મહાસાગર છે. ખરેખર તેમાંથી સાચા મોટી શોધવાનું કામ એકદમ કપરું છે. હું પુષ્ટી સંપ્રદાય નો વૈષ્ણવ છું પરંતુ એવો દાવો નથી કરતો કે હું બધું જ જાણું છું. એટલે હું આ બ્લોગ પર જે લખીશ તે કોઈને કોઈ પુસ્તકમાંથી વાંચીને કે પછી કોઈ વૈષ્ણવની જાણકારી પ્રમાણે પોસ્ટ લખીશ. આપ સૌને એટલી જ વિનંતી કે કોઈ ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરશો.

Follow

Get every new post delivered to your Inbox.